Donation For Corneagrafting Camp - Shree Vagad Kala Kendra.કોનિઁયાગ્રાફટિંગ કેમ્પ માટે અનુદાન - શ્રી વાગડ કલા કેન્દ્ર.
શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ - ૯૦ મું ચરણ
મન શાંત રહે એ ભાગ્યની વાત, મન વશમાં રહે તો સૌભાગ્ય કહેવાય.
મનથી કરવું કોઇ ને યાદ એ અહોભાગ્યની વાત,
પણ કરે કોઇ મનથી યાદ એ પરમ સૌભાગ્ય કહેવાય.
સ્મરણાંજલિ....
સ્વ. ઉમરશી રતનશી મેઘજી ફુરિયા તા. ૦૪-૧૧- ૨૦૨૦
સ્વ. કુમારી પુજા ઉમરશી ફુરિયા તા. ૦૧-૦૧- ૨૦૦૧
સ્વ. માતુશ્રી શાંતાબેન અને સ્વ. પિતાશ્રી રતનશી મેઘજી ફુરિયા
સ્મરણોની સુરભીને સૌભાગ્ય બનાવી પરિવારના પરમ આત્માઓ પરમ ગતિનું સુખ પ્રાપ્ત કરે એ માટે સ્મરણાંજલિ સ્વરુપે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પમાં આપ્યું રુપિયા એક લાખનું અનુદાન.
એવા પરમ સૌભાગ્યશાળી આત્માઓ જલદીથી જલદી મોક્ષમગતિને પ્રાપ્ત કરે એ માટે દિપોત્સવ પર્વે દાતા પરિવારે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ઉજાસ પાથર્યા એ એમનાં માટે અહોભાગ્ય જ લેખાયા સંસ્થા દાતાશ્રી શાંતાબેન રતનશી મેઘજી ફુરિયા પરિવાર [ભચાઉ - દાદર - ફુરિયા'સ] ને ધન્યવાદ આપતા હાર્દિક આભાર માને છે. માતુશ્રી શાંતાબેન રતનશી મેઘજી ફુરિયા (ભચાઉ)