શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત

શૈક્ષણિક સન્માન સમારંભ પ્રંસગે

વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ ના બન્ને વર્ષના 10th અને એનાથી ઉચ્ચ અભ્યાસ ક્રમમાં નીચે આપેલ ડીગ્રી મુજબ ઉર્તિણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન સ્ટેજ ઉપર બોલાવીને કરવામાં આવશે.

વિશિષ્ટ સિધ્ધિ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, ડિપ્લોમાં કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતાં એચ.એસ.સી (12th) માં સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં પ્રથમ ત્રણ (ટોટલ નવ)

તેમજ વર્ષ 2019 -2020 ના 10th (SSC, ICSE, CBSE, IGCSE Boards) માં 94% અને તેનાથી ઉપરના 33 વિદ્યાર્થીઓનું અને વર્ષ 2020 - 2021 માં 95% અને તેનાથી ઉપરના દરેક 41 વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે.

વર્ષ 2019 -2020 ના કુલ ૨૮૭ વિદ્યાર્થીઓનું સન્માન પ્રથમ સેશનમાં તેમજ બીજા સેશનમાં વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ ના ઉર્તિણ થયેલા કુલ ૩૬૪ વિદ્યાર્થીઓનું આમ, બન્ને સેશનનાં મળીને ટોટલ ૬૫૧ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે.

શૈક્ષણિક સન્માન બાબત સંસ્થાનો નિર્ણય આખરી ગણાશે.

શૈક્ષણિક સન્માન સમારંભ
તારીખ: શનિવાર, ૦૨ - ૦૪ - ૨૦૨૨
સ્થળ: રવિન્દ્ર નાટય મંદિર, સિધ્ધી વિનાયક મંદિરની બાજુમાં, પ્રભાદેવી, દાદર, મુંબઈ - ૪૦૦૦૨૫
પ્રથમ સેશન (વર્ષ ૨૦૧૯ - ૨૦ માટે): સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ
દ્વિતીય સેશન (વર્ષ ૨૦૨૦ - ૨૧ માટે): બપોરે ૩:૩૦ કલાકે શાર્પ

બન્ને સેશન માટે માનનીય વક્તા
મોટિવેશનલ સ્પીકર: ડો.રમજાન હસણિયા (M.A., M.Phil, Ph.D.)
જેમને સાંભળવા એ જિંદગી નો એક લ્હાવો છે.

બન્ને સેશન માં પ્રસંગ ને અનુરૂપ સરળ સહજ સચોટ શૈલીમાં ર્વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સુંદર માર્ગદર્શન આપશે.
વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ શિક્ષણપ્રેમી જ્ઞાતિજનોને બંને કાર્યક્રમ માં સમયસર પધારવા નમ્ર અનુરોધ.

નોંધઃ
સન્માન સમારંભ પ્રસાશનના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
બન્ને કાર્યક્રમમાં સમારંભ બાદ Snacks ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
પાકિૅંગ ની વ્યવસ્થા છે, વ્યવસ્થા જાળવવા અને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.